ઓશોનું પ્રેમ શાસ્ત્ર સંપાદન -આઈ. જે. સૈયદ

૨.  પ્રેમ અભાવ ..ચાલુ ..

[૨ ]   પ્રેમ વિહીન જીવન મૃત્યુ છે ..

તમારા જીવનમાં જો પ્રેમ નહી હોય તો તમારામાં એ ચેતન પણ નહી હોય જે પ્રેમીમાં હોય છે ..જો માત્ર કર્તવ્ય જ હશે અને પ્રેમ નહી હોય તો તમને લાગશે કે તમારી ભીતરે કશુક મૃત  થી રહ્યું છે .પ્રેમ વિહીન મનોદશામાં તમે અનુભવો છો કે -તમે ચાલો છો પણ હવે એ ચાલમાં નૃત્ય નથી .બોલો છો પણ બોલમાં એ ગીત નથી .જુઓ છો પણ આંખોથી કશું વરસતું નથી .આંખો કોરી અને ખાલી છે ..

સ્પર્શ કરો છો પણ સ્પર્શમાં ઉષ્મા નથી ,જાણે મડદાના ઠંડા  હાથ ,જેમાં કોઈ ભાવદશા નહી …..કોઈ લ્હેર નહી ..કોઈ સ્પન્દન નહી . આવી વ્યક્તિ એક ઝાડનું ઠુંઠું છે જેમાં ણ પાંદડા છે ,ન ફળ છે ,ન ફૂલ છે .એ રાહ જોઈ રહ્યો છે મૃત્યુની ..

અમેરિકાની અદ્દ્ભૂત વિભૂતિ શ્રી હેન્રી થોરોને એક વ્યક્તિ મળવા આવી .હેન્રી થોરોએ ખૂબ જ પ્રેમથી હસ્તધૂન કર્યું …પરંતુ બીજી જ પળે થોરોએ એ વ્યક્તિનો હાથ જટકા સાથે છોડી દીધો …અને આંખો બંધ કરી લીધી ..પેલી વ્યક્તિએ આશ્ચર્યથી  પૂછ્યું -શાથી આં રીતે તમે હાથ છોડાવ્યો  ? હેન્રી થોરોના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા ..તે રડવા લાગ્યા ..પેલી વ્યક્તિએ તેઓને ફરી પૂછ્યું -શાથી રડો છો  ? થોરોએ અશ્રુ ભીની આંખે કહ્યું :”તને ખ્યાલ નથી ,શું થયું  છે ?  જયારે તારો હાથ  મેં હાથમાં લીધો ત્યારે હતું કે એક  માણસ સાથે હસ્તધૂન કરું છુ ..પરંતુ મને એ પળે અનુભવ થયો કે મેં એક લાશનો  હાથ પકડી લીધો છે …મને લાગ્યું કે કોઈ સૂકાયેલા વૃક્ષની ડાળીથી  હાથ મિલાવું છુ …જ્યાં ન પ્રેમ છે ..ન કરુણા છે ..ન સૌહાર્દ્ય ,ન મૈત્રી ..તારા તમાં રસ ન હતો ..ન કોઈ જીવંત પ્રવાહ ,એક મડદાંનો હાથ પકડી લીધો જાણે …

ભોજનના અભાવથી શરીર મરે છે

પ્રેમના અભાવથી આત્મા મરે છે ….

પ્રેમ જ આત્માનો શ્વાસ છે ….ભોજન વગર જેમ તેમ કરીને કદાચ શરીરને ટકાવી શકાય પરંતુ પ્રેમના મૃયું પછી જીવંતતા શક્ય નથી ..પ્રેમ વિહીન જીવન મૃત્યુ સમાન છે .

વૈજ્ઞાનિકોએ શોધવા પ્રયત્ન કર્યો કે ,શું માતાના ધાવણ વગર બાળક જીવી શકે ખરું  ? તેઓએ બાળકને માંથી અળગું રાખી ,માત્ર અન્ય દૂધ પર રાખ્યું ,તો જોવા મળ્યું કે બાળક સૂકાઈ ગયું છે ..દૂધ શરીરને પોષણ આપે છે દૂધ જીવન નથી .દૂધ સાથે માતાના સત્નોથી પ્રેમની ધારા પણ વહેતી હોય છે …દૂધ વગર બાળક જીવી શકે ,પરંતુ માતાના પ્રેમ વગર તે મુડદાલ બની  જીવશે …

ક્રમશઃ

Posted in વિશેષ | Tagged | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

૧.પ્રેમનું મનોવિજ્ઞાન
પ્રસ્તાવના ચાલુ ….

આજે પ્રેમનો અભ્યાસ વ્યવસાયિક ધોરણે પણ શરૂ થયો છે .મનોવૈજ્ઞાનિકોએ પ્રેમના અભ્યાસોમાં ફતેહ મેળવી છે .આખરે મનોવૈજ્ઞાનિકોએ સંશોધનો કરી
તેના પર પકડ મેળવી છે .પ્રેમ શું છે ? તેના ઉદભવ કઈ રીતે થયો ? તેનો
વિકાસ કઈ રીતે થયો ? વગેરે પ્રશ્નોના ઉતરો મેળવાયા છે .આ અંગે વિસ્તૃત
મનોવૈજ્ઞાનિક ‘’પ્રેમ સંશોધનો ‘’નો ચિતાર આપતો રોબર્ટ સ્ટર્નબર્ગ અને બારનેસનો સંપાદિત ગ્રંથ- THE PSYCHOLGY OF LOVE ‘’[ યેલ યુનિવર્સીટી –અમેરિકા ] જિજ્ઞાસુઓએ વાંચવો જ રહ્યો ..આ ઉપરાંત ખ્યાત મનોવિજ્ઞાનીઓ
લેવિન્ગ્રર ,હેટ ફીલ્ડ ,બાયરન અને બર્સ ચીલ્ડનાં અભ્યાસોએ પ્રેમ સંશોધનોને
એક નવિ દિશા આપી .ઉપરાંત સમાજ મનોવૈજ્ઞાનિકો શેવર ,હેઝ્ન અને બ્રેડશોએ
કરેલા પ્રેમ સંશોધનોને આવકાર મળ્યો છે .એ જ રીતે બૂસનાં પ્રેમ અંગેના ઉત્ક્રાંતિનો જીવ શાસ્ત્રીય ખ્યાલ અને મનોવિજ્ઞાન ,ડિઓન અને ડિઓનનાં
પ્રેમ ,વ્યક્તિત્વ અને સાસ્કૃતિક માનવશાસ્ત્ર, લેવિંગરના પ્રેમ અને સામાજિક પરિપ્રેક્ષ ,હેટ ફિલ્ડનાં પ્રેમના વર્તનવાદી અભ્યાસ ,તથા હેલન ફિશરનાં એનોટોમી
ઓફ લવ વગેરે પ્રેમ અંગેના માન્ય અભ્યાસો છે .
આટલા વિપુલ પ્રમાણમાં અભ્યાસો છતાં ,હજુ પણ પ્રેમનું વિજ્ઞાન શૈશવ
કાળમાં છે .હજુ તેના ખ્યાલને સંપૂર્ણતાની મહોર લાગી નથી ,કારણ કે ,પ્રેમની વ્યાખ્યા પ્રત્યેક વ્યક્તિએ બદલાય છે .આ અંગે કેટલીક વિરોધી વિચારધારાઓ પણ ચાલે છે .વિરોધીઓ સવાલ કરે છે કે –પ્રેમ વલણ છે ? આવેગ છે ? વર્તન ભાત છે ? કે અંતરંગ અભિમુખતા છે કે બે પત્રોનું મોલન છે ? તે ગંભીરતા છે કે એક કામુક્તાની રમત છે ? આવા તમામ પ્રશ્નોના ઉતરો મેળવવા સંશોધનકારો
એ પ્રયાસ કર્યા છે .
ઘણા વિરોધ છતાં પ્રેમના ખાલોનું એકીકરણ કરવામાં સફળતા મળી છે છેલ્લા વર્ષોમાં સમાજ મનોવૈજ્ઞાનિકોએ પ્રેમ સંદર્ભે નોધપાત્ર અભ્યાસો આપ્યા છે .
સંશોધનો ચાલે છે ..આ અભ્યાસોથી નવા –નવા અભિગમો બહાર આવ્યા છે .આ અભ્યાસોએ પ્રેમના નવોન ખ્યાલોની સમજણ આપવામાં મોટો ફાળો આપ્યો છે .અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં ‘’આવેગ ખ્યાલ ‘’સમજાયો છે ..તેની સાથે ક્રોસ કલ્ચર અભ્યાસો થતા ચીન ,અમેરિકા ,ઇટલી કેનેડા જેવા દેશોમાં પ્રેમ વિશે ક્રોસ કલ્ચર અભાસો થયા છે …પરિણામે પ્રેમના ‘’આવેગિક ખ્યાલ ‘’ની વૈજ્ઞાનિક સમજ –સ્પષ્ટતા વિશ્વને નવિ રીતે પ્રાપ્ત થઈ ..અને સાથે સાથે પ્રેમ અંગેના સૂક્ષ્મ તફાવતોને પણ સ્થાન મળ્યું છે .

ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

પ્રેમનું મનોવિજ્ઞાન ચાલુ ..
પ્રેમની આવશ્યકતા, મનોવિજ્ઞાનમાં ગંભીરતાથી સ્વીકારાય હોવા છતાં સંશોધન સંદર્ભે તેની કરુણ ઉપેક્ષા કરવામાં આવી હતી .જેસુટ ,માર્ટીન અને ડીઅર્સ [૧૯૫૨] કહ્યું હતું ,’’જો આ વિષય પર પ્રાયોગિક શોધની એકતા થાય અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે તો પ્રેમના ખ્યાલની મોટી સેવા ગણાશે .’’ એ જ અરસામાં હેરી હર્લોએ આ સંદર્ભે અમેરિકન સાઇકોલોજી એસોસિયેશનનાં પ્રથમ પ્રમુખી ભાષણમાં કહ્યું હતું કે ,’’મનોવિજ્ઞાનીઓ પોતાના ખાસ કર્તવ્યોમાં નિષ્ફળ ગયા છે .પ્રેમ અંગે આપણી જાણકારી ઘણી ઓછી હોવા છતાં તે અંગે ઘણું જાણતા હોવાનો દાવો કર્યો છે .સદીની શરૂઆતથી જ મનોવૈજ્ઞાનિકોએ પ્રેમ વિના ચલાવ્યું છે અને હજુ પણ ફેર પડ્યો નથી .આપણે એ અંગે જ લખીએ છીએ તેનાથી વધુ સારું લેખકો કવિઓ અને નવલકથાકારોએ લખ્યું છે .’’ફ્રોઈડથી ફ્રોમ અને પછી મેસ્લોએ પ્રેમની ચર્ચા કરી છે ,પરંતુ કેટલાક અપવાદો સિવાય રોમાંચક પ્રેમ અંગે ખાસ સંશોધનો થયા ન હતા .બોલ્બી અને હારલોએ જે થોડો ઘણો પ્રકાશ ફેક્યો હતો તે સંદર્ભે ઝીક રુબીને [૧૯૬૮ ] સૌ પ્રથમ રોમાંચક પ્રેમના વ્યવસ્થિત સંશોધન માટે પ્રયાસ કર્યો ત્યારે મનોવૈજ્ઞાનિકોએ ખાસ સહકાર ન આપ્યો .તેને પૂછવામાં આવ્યું હતું કે ,’’તમે શા માટે પ્રેમ માપન કરો છો ? જ્ઞાનાત્મક પાસાથી વિરુદ્ધના વિષયમાં ખેડાણ કરવાનો ખાસ મતલબ નથી .’’ આવા પ્રતિભાવોથી ઝિક રૂબીનને આ વિષયમાં આગળ ખેડાણ કરવા માટે નિરાશા સાપડી .ત્યાર બાદ બે દસકા સુધી કોઈ ખાસ ખેડાણ આ વિષય ઉપર થયું નહી .મનોવૈજ્ઞાનિક સ્ટેન્લી હોલે સૌ પ્રથમ વાર પ્રેમને મુખ્ય વિષય ગણવાની મંજૂરી યુનાઇટેડ સ્ટેટ્સ પાસે માંગી .અહીંથી પ્રેમ સંશોધન વિમુખાતાનો ગાળો પૂરો થયો અને મનોવિજ્ઞાનમાં તેને એક સંશોધનનાં વિષય તરીકે સ્થાન પ્રાપ્ત થયું .અનેક મનોવૈજ્ઞાનિકોએ પ્રેમના અભ્યાસમાં ઝુકાવ્યું .

ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન, વિશેષ | Leave a comment

પ્રેમનું મનોવિજ્ઞાન

[૧.] પ્રેમનું મનોવિજ્ઞાન ..
પ્રસ્તાવના : પ્રેમ અંગે સમાજમાં યુગોથી અનેક વિચારો પ્રચલિત રહ્યા છે .યુગોથી વિચારકો અને લેખકો પ્રેમની ગહનતાને સુલઝાવવા મથતા રહ્યા છે ..દંતકથાઓ .કવિતાઓ અને નવલ કથાઓનો લાંબો ઇતિહાસ આ પ્રેમ શબ્દની આસપાસ નોંધાયેલો પડ્યો છે ..
પેમ ? તે કાયમ પ્રશ્નાર્થ છે ..સદીઓથી આ શબ્દનો પરિચય માંગતો રહ્યો છે ..યુગે યુગે પ્રત્યુતર અપાતો રહ્યો છે .છતાં હજારો વર્ષોથી તેના વિશે લખાતું રહ્યું છે ..અને આજે પણ લખાય છે .
સોળમી સદીનાં કવિ જ્હોન સક્લીન્ગે તેના કાવ્યમાં મૂજવણ વ્યક્ત કરી હતી કે ‘’ પ્રેમ એક એવું રહસ્ય છે ,જેને હું શોધી નથી શકયો કારણ કે ,જયારે હું તેને સુન્દરતમ પ્રયત્નોથી સમજી લઉં છું ત્યારે જ મને લાગે છે કે હું વહેમમાં છું ..’’

પ્રેમ લાગણી કરતા ઊંડી બાબત છે .તે અનેકમાં એક છે .અને એકમાં અનેક છે .એસ્કીમોની ભાષામાં બરફ માટે ૬૦ શબ્દો છે .એક બરફ માટે આટલા શબ્દો ?
તેઓ આ શબ્દનો સાચો અર્થ વર્ણવવામાં કેટલી મુશ્કેલી અનુંભવતા હશે ? આપણી ભાષામાં તેના જેવો શબ્દ છે ‘પ્રેમ ‘..ખરેખર માનવીય પ્રેમ જટિલ છે .તેની લાક્ષણીકતાઓ પકડવી સહેલી છે પરંતુ તેનો વસ્તુલક્ષી અર્થ કરવો સહેલો નથી .
પ્લેટોથી માંડી માર્ટીન લ્યૂથર સુધીના તત્વજ્ઞાનીઓ એ પ્રેમની ચર્ચા કરી છે .આપણા ધર્મો ,અદ્યાત્મ અને સાહિત્યમાં પણ તેની સમજૂતી અપાતી રહી છે .પરંતુ પ્રેમ અંગે વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનો બહુ ઓછા થયા હતા .
પરમ્પરાગત મનોવૈજ્ઞાનિક સાહિત્યમાં પ્રેમ અભ્યાસ વિષય તરીકે સ્થાન પામેલ નથી .. ક્રમશઃ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

મિત્રો આજે ,સાંજે વાંચો પ્રેનું મનોવિજ્ઞાન મારા બ્લોગ પર ..આઈ.જે.સૈયદ

Posted in વિશેષ | Leave a comment

પ્રાર્થના -૩

પ્રાર્થના -૩

પ્રાર્થના છે ધૈર્યપૂર્ણ  પ્રતીક્ષા…..

પ્રાર્થના સ્વાદ છે …

પ્રાર્થના સ્વાદ છે ..ધૈર્યપૂર્ણ પ્રતીક્ષાનો ….

જાણે –

અંતરે એક મીઠાશ ભરાય ,

ભીતરે જાણે મધુ કળશ ઢોળાય

રોમ રોમ મસતી છલકાય …

આંખોમાં મદહોશી ડોકાય

ચરણો શરાબીની જેમ લથડવા લાગે

આવી ક્ષણોની પ્રતીક્ષા પ્રાર્થના છે …

પ્રાર્થનાનાં બે અંગો છે .પ્રાર્થના અને પ્રતીક્ષા .

પ્રાર્થના કરતા પ્રતીક્ષાનું મૂલ્ય અધિક છે .

પ્રાર્થના તો ઘણા કરે છે ,

પ્રતીક્ષા ઘણા ઓછા લોકો કરી શકે છે …

અને જે પ્રતીક્ષા કરી શકે છે

તેઓની પ્રાર્થના પૂર્ણ ગણાય છે …

ઓશોની દ્રષ્ટીએ પ્રતીક્ષાનો અર્થ છે :

‘મેં મારી પ્રાર્થના કરી લીધી .’

પરંતુ મારી પ્રાર્થના આ ક્ષણે

પૂર્ણ થાય ,એવી આકાક્ષા પણ નથી ….

પૂરી થાય એવી આશા છે ,

પરતું અપેક્ષા નથી ..હા ,છે તો

બસ ,ધૈર્ય સાથેની અનંત પ્રતીક્ષા …

આજે ,કાલે ,વર્ષો સુધી ,અરે

જન્મોજન્મ સુધી પ્રતિક્ષા નું ધૈર્ય ….આવા અનંત ધૈર્યથી જે

પ્રાર્થના કરે છે ,તેની એ જ ક્ષણે પ્રાર્થના પૂરી થાય છે ..

અને જેણે ધૈર્ય ખોઈ નાખ્યું તેની પ્રાર્થના કદી  પૂરી નહી થાય

કારણ કે ધૈર્ય પ્રાર્થનાનો પ્રાણ છે …

ઓશો કહે છે –

પ્રતીક્ષામાં પણ અનોખું સુખ છે …

એક શાંતિ છે …

અધૈર્ય માં દુ;ખ છે ..તણાવ છે ..ચિંતા છે ..

બેચેની છે …દ્વન્દ્વ છે …

ધૈર્ય નો અર્થ જ છે કે ‘થશે ‘ નિશ્ચિત  થશે ..

ગમે તેટલો સમય થાય ..ત્યાં અન્યાય નથી .

ધૈર્ય તો છે ,તમારી પાત્રતા પૂર્ણ કરવાનો સમય .

બીજ વાવ્યું છે ,કૂપળ ફૂટશે ..

ઋતુ આવશે …સમય આવશે ..બીજ વૃક્ષ બનશે .

બીજ નાખી પાણી પાતા રહો …..

અને પ્રતીક્ષા કરો .

એક દિવસ અવશ્ય ફળ આવશે ……

પરતું જો ઉતાવળ કરી ,તો ભટકાવની સંભવના છે .

ત્યાં ઉતાવળ નહી ચાલે …

ધીમે ,ધીમે પોકાર કરતા જાઓ .

પોકારની તીવ્રતા વધતા જાઓ .

દીવાનગીનું ગીત ગાતા જાઓ .

એક દિવસે એ ગીત તમારા માટે

મિલન ગીત બની જશે .

ક્રમશઃ

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

પ્રાર્થના -૨

પ્રાર્થના -૨

પ્રાર્થના છે સવેદનશીલ હૃદયનો મહાઉત્સવ

 

ઓશો કહે છે –

સવેદનશીલ બનો .પ્રાર્થના સ્વયંભુ પ્રગટશે .

પ્રાર્થના તો છે –

આંખો ખોલી …હ્રદય ખોલી આ અસ્તિત્વનો જે મહોત્સવ ચાલી રહ્યોછે તેમાં ઓતપ્રોત થઈ જવાનું નામ .

પ્રાર્થના છે અનંત વિરાટ પ્રત્યે હ્રદયમાં જાગતો પ્રેમ .

જેઓ હ્રદયના દ્વાર ખોલી પ્રતીક્ષા કરે છે ,તેને  તે પ્રાપ્ત થાય છે .

સવેદનશીલ હ્રદયના અનુભવ થકી

હ્રદયનું કમળ ખીલ્યું એ જ  પ્રાર્થના .

પ્રાર્થના કવિ હ્રદય માંથી  જાગે છે .

પ્રાર્થના કલાત્મક દ્રષ્ટિ છે .

એક સૌન્દર્ય બોધ  છે.

પ્રાર્થના છે હાર્દિક …..

હ્રદયને ન સંપ્રદાય છે ન શાસ્ત્ર ..

હ્રદયનો સંબંધ તો –

ઉત્સવ સાથે છે ,

સંગીત સાથે છે ,

નૃત્ય સાથે છે ..

હ્રદયનું નૃત્ય

હ્રદયનું સંગીત અને

હ્રદયના ઉત્સવનું નામ પ્રાર્થના છે .

ઉત્સવભરી  આંખીથી જગતને જોવાની ક્ષમતા હોય તો –

ચોવીસ કલાકનું  જીવન પ્રાર્થનામાં રૂપાંતરિત થઈ જાય .

અસ્તિત્વ સાથેનો ઓતપ્રોત સવેદનશીલ હ્રદયોત્સવ સૌથી ઉંચી પ્રાર્થના છે .

ઓશો કહે છે –

વૃક્ષ લીલા છે …તમે લીલા થઈ જાઓ ,.

પ્રાર્થના થઈ ગઈ .

ફૂલ ખીલ્યા છે ..તમે ખીલી જાઓ ,

પ્રાર્થના થઈ ગઈ .

આ હવા નર્તન કરી રહી છે ..તમે પણ નાચો ,

પ્રાર્થના થઈ ગઈ .

જેની આંખોમાં ઉત્સવ તરંગો છે ,

તેને પક્ષીઓના ગાનમાં પ્રાર્થના સંભળાય છે .

સવારે ઉગતા સૂર્યમાં પ્રાર્થનાનો આવિર્ભાવ દેખાય છે .

જેને સવારના ઉગતા સૂર્યમાં પ્રાર્થના નથી દેખાતી ,.

તેને કદી ,

પરમાત્મા નહી દેખાય ……

જ્યાં જ્યાં તમને

સૌન્દર્યનો

સંગીતનો

લયબદ્ધતા નો

રસમયતા નો બોધ થાય …..

ત્યાં ત્યાં –હ્રદય ખોલી બેસી જાઓ …

તે જ મંદિર છે ..

તે જ તિર્થ છે ….

સવેદ્ન્શીલતા ભર્યો પ્રાર્થના નો સ્વાદ માણો .

સંવેદ્ન્શીલા જેટલી વધુ ,

પ્રાર્થના નો અનુભ એટલો જ પ્રગાઢ …

આ પ્રગાઢ હ્ર્ડ્યોત્સ્વની ભાવભૂમિમાં –ખરી

પ્રાર્થના નાં ફૂલ ખીલેશે ..અને પછી

આ ફૂલો તમને  જે ,કહે તે કરજો …

આ ફૂલોના સંબધની પાંખે

પરમાત્મા તમારા સુધી આવી પહોચશે …

[ક્રમશઃ ]

Posted in વિચાર અને ચિંતન | Leave a comment

કાવ્યાનંદ

કવિતા કી કહાની

[૨] હરેશ ‘તથાગત ‘કી કલમ જુબાનની :

હું કવિતા ,આજે હરેશ ‘તથાગત ‘નાં કાવ્યોમાં પ્રગટેલા મારા પરિચયની વાત કરીશ .

‘’ કૈ રહસ્યો ઊઘડે ,એવું બને ,

કોયડાઓ ઊકલે એવું બને .’’

હું ,કવિતા ,કુદરતના કઈ –કેટલાય રહસ્યોને ઊકેલી આપું છું ..હું ,અંતરતમની એવી ઉર્જા છું ,જેના પ્રભાવથી અનેક વણ –ઉકલ્યા કોયડાઓ ઉકેલાય જાય છે ..કવિ કર્મ ક્યારેક સમાધીનાં લયને પામે છે ..ત્યારે ‘હું ‘જ એના અતીજ્ઞાનનો  સહદેવ બનું છું .અને ભીતર છુપાયેલા અનેક સત્યો ને તથ્યોને પ્રગટ કરું છું ..

‘’ રસ સમીક્ષા ફૂલની કલમે કરી

કોઈ સાથે વાંચવાનો આ સમય ‘’

મને બહૂ ઓછા લોકો જાણી  –માણી શકે છે ,પરંતુ જે લોકો મારી દુનિયાનાં સહવાસી બને છે તેઓ જગતથી ભિન્ન એવા સવેદનશીલ માનવીનું સદભાગ્ય મેળવે છે ..તે મારી રસમયતાનું પાન કરે છે અને કરાવે છે ..હું ફૂલોની કલમ બની રસમયતાનો લ્હાવો બનું છું .

‘’ રેતમાં ઘર બાંધવાનું ભોળપણ

હું કરું છું  ને કરો છો આપ પણ ‘’

હું ,કવિતા, રેતમાં ઘર બાંધવાનું ભોળપણ છું …હું તમને પણ આ રેતના ઘરની રમતો નો આનંદ લેવા કાયમ સાદ કરતી રહું છું ..તમે જો રેતમાં છુપાયેલા સ્પર્શને પામો તો …સંસારનાં સન્નેપાતથી મુક્ત રહી શકો છો ..

‘’ધૂપ સાથે છાંવનાં કિસ્સા વણું છું ,

હું મને સંભારવા ગઝલો લખું છું ‘’

હું ,જીવનના તડકા –છાયાની વાર્તા છું ..માનવીય મનની સુખ –દુ:ખની કહાનીઓ ને અમર કરવા ,ગઝલ સંભારણ બની યુગો સુધી કવિના ભીતરમાં ગૂંજન કરતી રહું છું …

‘’વૃતિની પરછાય પણ દોરી શકું

જો ફલક ઉપલબ્ધ હો અવતારનું ‘’

હું ,માનવ મનની દરેક વૃતિની વ્યથાઓ નાં પડછાયાઓનું દર્શન માત્ર નથી ,હું –યુગે  યુગે ‘અવતાર’ નાં અવસરનો ઇન્તેજાર કરું છું …મને ફલક મળે તો ,વિશ્વ માનવીની કથા બનું  છું ..

‘’તટ ,હલેસું ,નાવ ,ને હું  બે ઘડી બધાં ,

લહેરનો સ્વભાવ ને હું બે ઘડી બધાં ‘’

હું જ તટ છું ,હુ જ સાગર છું ,હું જ હલેસું છું ..હું જ નાવ છું ..હું  લહેરનો સ્વભાવ છું ..પરંતુ હું જ્યાં છું –ત્યાં ઘડી બે ઘડી હોવ્ છું ..માનવી મારા સુધી ક્યારેક જ પહોંચે છે ..જગત પંચાતો સાથેનું બંધન એને મારી સાથે લાંબો સમય સંગ કરવા દેતું નથી ..

‘’તું નથી –એવી પળોની  કથા છે

પાપણો પર આંસુઓનાં કારવા  છે ‘’

કે શબ્દો જ સુંઘી મન મનાવો ,

ફૂલના અધ્યાય પૂરા થઈ ગયા છે ‘’

હું ,હ્ડસેલાઉં છું ..એકલી પડી જાઉં છું ..મારો સંગાથ જ્યાં  છૂટી જાય છે ત્યાં  લોકો ઠાલા શબ્દોના ગ્રંથો ભરે છે અને એવા બીજા કેટલાક એના ચૂંથણા કરતા રહે છે ..પરંતુ ત્યાં કશું લાધતું નથી …હું જયારે  વિચારોના લાક્ષાગૃહમાં કેદ થઉં છું ,ત્યારે ફૂલોના  અધ્યાયનું વિસરાતું પાનું બની રહી જાઉં છું ..મારા વજુદથી  મ્હેકેલી જીવન કથાઓની પાપણે , યાદની સુવાસ બની આંસુઓને કીમતી બનાવી જાઉં છું ….

Posted in કાવ્યાનંદ | Leave a comment