શેર સાથે ” સતસંગ ”-૧

શેર સાથે સતસંગ -૧
મિત્રો ,ગમી ગયેલા કોઈ શેર કે પંક્તિથી જાગેલ સંવેદનની
મૌલિક અભિવ્યક્તિ છે – ‘’ શેર સાથે સતસંગ ‘’

આપી આપી ને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ………
- વિનોદ જોશી

શ્રી વિનોદ જોશીના ખૂબ જ જાણીતા થયેલા ગીતની આ અંતિમ પંક્તિઓ છે …
પ્રેમીજનની શું ચાહ હોય ? સજન સાથે હોય ને સામે હોય ..પરંતુ જયારે એ સજન જોજનો દૂર હોય એનો વિયોગ લાગતો હોય એ વેળાએ, આંખો અને આંસુ વચ્ચેનો સંબંધ શું હોય છે?.
તેની અસલ જાણ થાય છે ..અહીં આંખો દીદારે યારના ઇન્તેઝાર પર જ મંડાયેલી છે ..તે હવે બીજું કશું જોઈ શકે તેમ નથી ..હવે એ આંખો ,આંખો રહી નથી ..દિલની સાથે દ્રષ્ટિ પણ ખોઈ.. .પ્રેમના આ અનોખા અહેસાસે ભીતરે જે દર્દ ભરી દીધું છે,તે ક્યાં માર્ગે વહેશે ? .. તે આંસુઓ રૂપે આંખોથી વહી નહી શકે.. સજનના દર્શન થાય તો જ આ દ્રષ્ટિ પાછી મળે ….અને આંસુઓને વહેણ મળે ..તેથી તે ક્હે છે –
આપી આપી ને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ………

-પ્રો.આઈ.જે.સૈયદ

Posted in કાવ્યાનંદ | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૮

ચક્રનું મનોવિજ્ઞાન -૮

(૨) સ્વાધિષ્ઠાન ચક્ર ચાલુ ..

અચેતનનું નિવાસ સ્થાન :

સ્વાધિષ્ઠાન ચક્રનો એક ભાગ મગજના અચેતન મન સાથે સંબંધિત છે .
તેના સંસ્કારો (મનો ઈમેજ )નું ત્યાં સંગ્રહ સ્થાન છે .તે અચેતનના અનેક
અનુભવો સાથે પરોક્ષ રીતે સંબંધિત છે .

જયારે આ ચક્રમાં ઉર્જા અવરોહણ થાય છે ત્યારે તે અચેતનના અનેક રહસ્યો
ખોલે છે .અહીં અચેતનની ચળવળોનો જમાવડો છે . ચેતન અહીં કામ કરતું નથી .

ઋગ્વેદ પ્રમાણે -સૃષ્ટિની રચનાના ગર્ભમાં અને પછીની સૃષ્ટના સર્જનમાં તથા
વિસર્જનમાં અને સંવર્ધનમાં તેનો હાથ હોય છે .

જયારે ,સ્વાધિષ્ઠાન ચક્ર જાગે છે ત્યારે
અચેતનમાં ધરબાયેલા નેગેટીવ ફેકટર
બહાર નિકળવા માંડે છે .

જાતિયતા સાથેનો સંબંધ :
જાતિય શક્તિ એ મૂળભૂત –આદિમ ઉર્જાનું માત્ર એક રૂપ છે .આ ઉર્જા ક્યારેય
નાશવંત નથી .તથા સમગ્ર દેહમાં ,મનમાં એક યા બીજા સ્વરૂપે રૂપાંતરિત થતી
થતી રહે છે. પરંતુ તે લૂપ્ત થતી નથી .તે હમેશા તન –મન અને ચેતનમાં હરતી-ફરતી રહે છે .
ઉચ્ચ ચેતના અવસ્થાએ પણ
તે હાજર હોય છે, તેથી
ભક્તિ કે ઈશ્વર પ્રિત તેના રૂપાંતરણની ઘટના માત્ર છે .
આ ઉર્જા નીચેથી ઉપર સુધી પોતાનો પ્રભાવ એક યા બીજી સ્વરૂપે બતાવે છે .

સેક્સ એ તો એ ઉર્જાનો એક
અનુભવ માત્ર છે …..

આ શક્તિ જૂદી જૂદી કક્ષાએ જૂદા જૂદા નામથી ઓળખાય છે .તેની ઉચ્ચતમ કક્ષાએ
આદ્યાત્મિક અનુભવ કરીએ છીએ . તેની ઉચ્ચતમ ભાવાત્મક કક્ષાને પ્રેમ કહીએ છીએ અને તેની શારીરિક આસક્તિ રૂપ પરાકાષ્ઠાને સેક્સ નામથી ઓળખીએ છીએ .

સ્વાધિષ્ઠાન ચક્ર એ મૂળભૂત ઉર્જાનું વિતરણ કેન્દ્ર છે .

આ ચક્ર પાસેથી
જાતિય આવેગો –આવેશો ,
માતૃ પ્રેમથી લઈને પ્રભુ પ્રેમ
દૈહિક શક્તિથી લઈને આદ્યાત્મિક ઉર્જા મેળવી શકાય છે .

પરંતુ ,લોકો લાલસા વૃતિ-પ્રવૃત્તિને લીધે આ ઉર્જાને નિમ્ન કક્ષાની ઉર્જામાં રૂપાંતરિત
કરી દે છે અથવા ચક્રને અવરોદ્ધ કે અવ્યવસ્થિત કરી નાખે છે .

ઓશોના મતે આ ઉર્જા ચક્રની બે સંભવના છે :
(૧ ) કામવાસના
(૨ ) બ્રહ્મચર્ય

આ ચક્રની પ્રાથમિક સંભાવના છે સેક્સ ,જે પ્રાકૃતિક છે
અને બ્રહ્મચર્ય તેનું રૂપાંતરણ છે .
ચિત્ જેટલું કામવાસનાને વળગ્યું હશે એટલો જ વિલંબ આ ચક્રના રૂપાંતરણ માટે
થશે .

જયારે કામવાસના પ્રત્યે પૂર્ણભાવથી અને પૂરા ચિત્તથી ,પૂર્ણ સમજથી જાગ્રત
થઈએ છીએ ત્યારે ભીતરે કામની જગ્યાએ બ્રહ્મચર્યનો જન્મ થાય છે .
સાચા અર્થમાં બ્રહ્મચર્ય સધાય તો
વ્યક્તિ આ ચક્રની ઉર્જાથી ક્રાંતિવાન બની શકે છે …..

વિશેષ હવે પછી …

પ્રો.આઈ .જે .સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનો વિજ્ઞાન -૭

ચક્રનું મનો વિજ્ઞાન -૭

૨. સ્વાધિષ્ઠાન ચક્ર ( SACRAL CHAKRA )

આ ચક્રનું સ્થાન મેરુદંડ નીચેના અંતિમ હાડકા ( TAIL BONE ) પાસે છે . ગુદાથી ઉપર (સામેના ભાગે ) તે નાના બલ્બ (BULB ) જેવો ભાગ છે .રચનાની દ્રષ્ટીએ તે મૂલાધારથી ખૂબ જ પાસે આવેલું છે

તેનો વિસ્તાર પેઢુના ભાગથી જંગાના હાડકા સુધી છે .
આ ચક્રને પ્રજોત્પત્તિ અને મૂત્ર સંસ્થાન સાથે સમ્બન્ધિત માનવામાં આવે છે .
જળ તત્વનું કારક હોવાથી રક્ત પરિભ્રમણ ,મૂત્ર સમ્બન્ધિત ક્રિયાઓ ,રજો સ્ત્રાવ ,લાળ ,પરાકાષ્ઠા ,આંસુઓ ,સાથે સમ્બન્ધિત છે ,તથા સ્વાદ અને જીભ સાથેનો રસલય પણ છે .

આ ચક્ર પ્રજનન શક્તિનું પાવર સ્ટેશન કે સંગ્રહ સ્થાન છે .તે ગર્ભધાનથી મ્રત્યુ
સુધીના જીવન ચક્રની લયબદ્ધતાને ઉર્જા આપે છે .તે વિજાતીય આકર્ષણ અને જાતીય સુખનું કેન્દ્ર છે .આ ચક્રની ઉર્જા વિજાતીય સુખ અને સંબંધોને અસર કરે છે .
આ ચક્ર આપણી જાતીય અભિયોગ્યતાઓ અને જાતીય વલણનું પણ કેન્દ્ર છે .સ્ત્રીમાં
સ્ત્રેણ ગુણો અને પુરુષમાં પૌરુશ્ય માટે તે ગર્ભિત ફાળો આપે છે ,તથા આ ચક્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેની ઉર્જ્જાનું સંતુલન પણ કરે છે .તે જ લાગણીઓ ઉદ્દીપ્ત કરે છે અને જીવન માધર્ય વધારે છે .

સુખાનુભૂતિનું સ્ટેશન પણ છે સ્વાધિષ્ઠાનનો અર્થ જ છે –‘’મધુરતા .’’
જયારે પ્રાથમિક જરૂરતો તૃપ્ત થાય છે ત્યારે વ્યક્તિ પાંચેય ઇન્દ્રિયો વડે ભૌતિક જગતમાં સુખાનુંભૂતી માટે ગતિશીલ બને છે ,તેના મૂળમાં સ્વાધિષ્ઠાન ચક્રનો પ્રભાવ હોય છે . આ ચક્ર માત્ર જાતીયતા જ નહી મૈત્રી ,આંતર સ્ફુરણા ,રચનાત્મકતા અને આવેગિક બાબતોને અસર કરે છે . તે તમામ પ્રકારના સર્જન સાથે અનુંબંધિત હોય છે ,તે મૂળ સર્જનાત્મક ઉર્જાનું સ્રોત છે .

જયારે તેનું રૂપાંતરણ થાય છે ત્યારે તે રચનાત્મક વિચાર ,લાગણી ,વર્તન ,રહેણીકરણી રૂપે પ્રગટ થાય છે . આ ચક્ર બદલાતી સ્થિતિ અને પ્રવાહોના પરિવર્તન સાથે તાલમેલ રાખતા શીખવે છે .

તે સમૂહ જીવનની આચાર સંહિતાનું સંવર્ધન કરવાનું તથા માતા –પિતાના પ્રેમની પરિપૂર્ણતાનું મનો વિજ્ઞાન છે ..

આ ચક્ર મૂળભૂત રીતે આપણી ‘’જાતિગત પહેચાન ‘’ ઉભી કરવાની સાથે ,વ્યક્તિગત આંતર સબંધો સ્થાપવાનું નિર્ણાયક બળ પણ છે .તેનો સ્વસ્થ પ્રભાવ આપણા જીવનને હર્યું –ભર્યું અને પ્રવાહિત રાખે છે ..

આ ચક્ર પાસેથી ‘’સ્વ- સત્તા ‘’અને સ્વ-નિયમનની શક્તિ મળતી રહે છે ..

વિશેષ હવે ,પછી ..

પ્રો. આઈ. જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૬

ચક્રનું મનોવિજ્ઞાન -૬

મૂલાધાર ચક્ર ચાલુ ..

મૂલાધાર ચક્ર અપાન અને
અન્નમય કોષનું પણ સ્થાન છે ,તે દેહને પોષે છે .તેથી તેને પોષતા આહાર
પર ધ્યાન આપવું આવશ્યક છે . આવા આહારથી તે, પૃથ્વી ઉર્જા દ્વારા
ચુંબકીયબળ વ્યક્તિમાં પેદા કરે છે . તે આપણી સૂક્ષ્મતમ ઉર્જા તંત્રનું મૂળ છે .
તે અન્યો ચક્રને પણ ઉર્જા પહોચાડે છે .તેથી મૂલાધારને ઉર્જાવાન બનાવવવા
અનુરૂપ આહાર લેવો જોઈએ .

મૂલાધાર ચક્રની સ્વભાવિક સ્વસ્થતા માટે નીચે મુજબની બાબતોનું
ધ્યાન રાખવું જરૂરી છે .

૧ * દેહને પ્રેમથી સાચવવું એ મૂલાધાર ચક્રનો માનસિક આહાર છે .
શરીરને પ્રેમથી સ્પર્શ કરો ,દેહની કુદરતી ગતિ અને લયનો અનુભવ
કરો –આવું નહી કરો ત્યાં સુધી આહારની ધારી અસર નહી પડે .

૨ * આપણા વારસાગત આહારને પ્રમુખતા આપો .
સમાજમાં સદિઓથી ખવાતા આહાર અને ખોરાકને
અનૂસરો ..
સારા પ્રયાસરૂપે –કુટુંબના આહાર અને ખાવાની માન્યતાઓની
સમજણ આપો ..તેમાં નવી આહાર શૈલી અને વ્યંજનનોને શક્ય
ત્યાં સુધી શામેલ ન કરો .પરમ્પરાગત આહર લેવાથી મૂલાધાર ચક્ર
બળવાન બને છે .

ટુંકમાં ,મૂલાધાર ચક્ર એ -

•કુંડલીની શક્તિનો પાયો છે ,તેનું ઘર છે.

• તેની ભૂમિકા દૈહિક ઉર્જા તંત્ર અને કુંડલીની શક્તિ એમ
બન્ને માટે સહાયકની હોવાથી તે સંતુલન અને સ્થાયિત્વ સ્થાપન
માટે જરૂરી છે .
• તે PSYCHE- મનોસૃષ્ટિ અવસ્થાનું મૂળ હોવાથી તે વૈયક્તિક ભીતરી
ચુંબકીય ઉર્જા ક્ષેત્ર છે .આ ચક્ર જાગ્રત થતા એક ચુંબકીય શક્તિ કામે લાગે છે

વધુ, હવે પછી …

પ્રો. આઈ. જે . સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૫

ચક્રનું મનોવિજ્ઞાન -૫
મૂલાધાર ચક્ર ચાલુ ..
આપણે આગળ જોયું કે બન્ને નાડીઓનું બેલેન્સ થાય છે ત્યારે મૂલાધાર ચક્ર
જાગ્રત થાય છે ….

જે લોકો ધ્યાનાવસ્થા નો અનુભવ કરે છે તેઓ કહેતા હોય છે કે ,કરોડ
રજ્જુના મૂળથી કોઈ ઉર્જા મસ્તિષ્ક તરફ ગતિ કરી રહી હોય તેવું લાગે છે .
આ પ્રાથમિક અનુભવ છે …જેમાં ઉર્જા મૂલાધારથી વાયા પિંગળા નાડી થઈ
ઉપર ચડે છે …જોકે આ શુદ્ધિકરણનો પ્રયાસ જ હોય છે .

દરેક ચક્રના જાગરણ માટે મુખ્યત્વે નીચેની વિધિઓ વિશેષ ઉપયોગી ગણાય છે.

૧.મન્ત્ર (ખાસ શબ્દ ,વાણી ધ્વની રટણ દ્વારા )
૨. યંત્ર ( ખાસ વિશેષ રંગો )
૩. મુદ્રા ( જેમાં હાથ અને દેહ વચ્ચે વિશેષ વિન્યાસ )
૪. આસન્
૫. પ્રાણાયામ
૬. ધ્યાન વિધિઓ
૭. સંલગ્ન આહાર

મૂલાધાર ચક્ર જાગરણ માટે નીચે મુજબની રિતો વિશેષ ઉપયોગી છે :

૧ * સ્થાન અનુંભૂતી પ્રેક્ટિસ .
૨ * ખાસ કસરત – જેવી કે ,
૧.બન્ને સમગ્ર પગની જુદી જુદી કસરત
૨. પગ નીચે દડો કે કૃપા ચક્ર રાખી રોલિંગ કરવું .
૩. ગોઠણના પાછલા ભાગે એક્યુપ્રેસર કરવું .

૩ * આસન પ્રેક્ટિસ જેમાં નીચે મુજબના આસનો મુખ્ય છે :
*વજ્રોલી મુદ્રા , * અશ્વિની મુદ્રા
* તાડાસન * સલાભાસન *ભુજંગાસન *ગરૂડાસન * જાનુઆસન *સલ્ભાસ્ન
*ઉત્તાઆસન *બાલાઆસન વગેરે ..

૪* નાસિકા દ્રષ્ટિ
૫* કપાલ ભાતી
૬* મૂલ બંધ

મૂલાધારને જાગ્રત કરતી સુગંધ –
• ગૂગળ * લોબાન ,ધૂપ ..
મૂલાધારને જાગ્રત કરતું વાદ્યધ્વની -
* તબલા કે ડ્રમ નો અવાજ

મૂલાધાર ચક્રને શુદ્ધ કરતો આહાર –

૧ * પ્રોટીન યુક્ત દાળો ,શાક ભાજી ,દૂધ ,અને તેની બનાવટો
૨ * મિનરલ્સ યુકત આહાર- જેવા કે લાલ રંગના ખાદ્યો જેવા કે –ટમેટા ,લાલ મરચું ,સ્ટ્રોબેરી બીટ –ગાજર વગેરે ..

વધુ હવે પછી …

પ્રો. આઈ.જે .સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૪ .

ચક્રનું મનોવિજ્ઞાન -૪
મૂલાધાર ચક્ર ચાલુ …

મૂલાધાર ચક્રની ઉર્જાનું ફળ :

•મૂલાધાર ચક્ર જાગે તો
વ્યક્તિની વાણી પ્રભાવશાળી બને છે અને વ્યક્તિ
શિક્ષણના ઊંડાણને પામે છે .

•મૂલાધાર ચક્રની યોગ્ય જાગૃતિ ,
જાતીય જીવનમાં સંતોષ અને
મગજને તાણ મુક્તિ આપે છે .
અહીં મનો સંઘર્ષ ટકતા નથી .

•વ્યક્તિ તમામ રોગોથી મુક્ત રહે છે .
અને સદા પ્રસન્નતાને પામે છે .

મૂલાધાર ચક્ર જાગૃતિ –સમતુલન :

આ ચક્ર ખોલવું કે પૂર્ણ સક્રિય કરવું ખાસ અઘરું નથી .તેના માટે અનેક વિધિઓ છે . પરંતુ અસંખ્ય વિધિઓ માંથી સૌથી અસરકારક વિધિ નાસિકા
સાથે સમ્બન્ધિત છે .એક માન્યતા પ્રમાણે આ ચક્ર પૃથ્વી તત્વ સાથે સમ્બન્ધિત હોવાથી તે સીધું જ ગંધ –સુગંધ સાથે અનુબંધિત છે તેથી ‘’નાસિકા દ્રષ્ટિ ‘’વિધિ ખૂબ જ મદદ કરે છે .તેના વડે ડાયરેક્ટ આ ચક્ર જાગી શકે છે .

તમામ ચક્રોનો પરિચય આપ્યા ,બાદ અંતમાં દેરક ચક્રની સાધના
વિધિઓની વિગતો અપાશે ત્યારે ,મૂલાધાર ચક્રની જાગરણ વિધિઓ
પણ વિસ્તારથી સમજવામાં આવશે ..અહીં તે વિધિઓનો માત્ર વિગત
ઉલ્લેખ કરીશું .

વિધિઓની માહિતી મેળવતા પહેલા મૂલાધાર અને નાડી સંતુલન અંગે
કેટલુંક જાણી લેવું જરૂરી છે . આ અંગે બે મત છે :

૧. તંત્રના મતાનુસાર મૂલાધાર એ કુંડલીની શક્તિનું આસન સ્થાન છે .
આ શક્તિ સુષુમ્ણા નાડી મારફત ,કરોડ રજ્જુના માર્ગે સહસ્ત્રાર ચક્ર
સુધી પહોંચે છે .

૨. મૂલાધાર ચક્ર એ સ્થળે છે જ્યાં ત્રણેય નાડીઓ ભેગી મળે છે .
અને કરોડ રજ્જૂના માર્ગે ઉપર તરફ ઉર્જા વહન કરે છે .
કરોડ રજ્જૂના ઉપરના છેડે ત્રણેય નાડીઓ આજ્ઞા ચક્રમાં વિલય પામે છે.
નીચે કરોડ રજ્જૂના અંતિમ છેડે મૂલાધાર સ્થિત રહે છે .

ઈડા નાડી (માનસિક ઉર્જા ) મૂલાધારની ડાબી બાજુ તરફ અને પિંગળા
નાડી (પ્રાણ ઉર્જા ) મૂલાધારની જમણી તરફ તથા સુષુમણા નાડી ( આત્મિક ઉર્જા ) મૂલાધારના મધ્યમાં રહે છે .

તંત્રના મતાનુસાર –
જયારે ઈડા અને પિંગળા નાડીના
પોજીટીવ-નેગેટીવ પ્રવેગ વ્યવસ્થિત /
પૂર્ણ ચાલે છે ,ત્યારે
બન્ને નાડીઓનું બેલેન્સ થાય છે .
જયારે આ બન્ને નાડીઓનું બેલેન્સીગ થાય છે ત્યારે મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે ..

વધુ વિગતો ,હવે પછી ..

પ્રો.આઈ.જે. સૈયદ

Posted in મનોવિજ્ઞાન | Leave a comment

ચક્રનું મનોવિજ્ઞાન -૩

ચક્રનું મનોવિજ્ઞાન -૩
મૂલાધાર ચક્ર ચાલુ …

મૂલાધાર અને શારીરિક સમસ્યાઓ :

જયારે મૂલાધાર ચક્ર દુષિત અને અવરુદ્ધ હોય છે ત્યારે અને પ્રકારની માંદગી
ઘેરી વળે છે .જેમાં મુખ્યત્વે -

રોગ પ્રતિકારકતાને લગતા રોગો –વારંવાર માંદા પડવું
પગ અને હાડકાની સમસ્યા, પગના સ્નાયુની સમસ્યા ,કમરનો દુખાવો
ભુખ ન લાગવી ,કબજીયાત ,કોલાયટીસ ઈટિંગ ડીસઓર્ડર ,બ્યુમિયા
અતિ સ્થૂળતા ,મસાની સમસ્યા ,મોટા આંતરડાની સમસ્યા
માથાનો દુખાવો થતા કેન્સરની સંભવના .

મૂલાધાર ચક્ર અને માનસિક સમસ્યાઓ :

મોટે ભાગે બળ વયે થયેલા આઘત કે વંચિતતાથી આ ચક્ર દુષિત
થાય છે .આ અનુભવો કે અભાવ ગ્રસતતા ચાલુ રહે છે ત્યારે અચેતનમાં
એક વિછીન્નતા આકાર લે છે ..આવા લોકો સફળતા અને સબંધો કાજે
અતિ બાંધ –છોડ કરવાની વૃતિ વાળા થઈ શકે છે .

અન્ય માનસિક સમસ્યાઓ :

-લોકોથી નફરત અને ભયભિત રહેવું .
-સલામતી અને સ્વીકૃતિની ચિંતા રહેવી .
-ઈર્ષાનો અતિરેક ,બળતરા,સામાજિક સંબંધોમાં પીડા .
- વિચાર વાયુ ,કલ્પનાઓમાં વિહરવું .
-હોમ સિકનેસ ,ફેમીલી પ્રોબ્લેમ .
-નશાખોરીની આસક્તિ ,લત ,વસ્તુ પ્રેમી
-સતત બકબક કરવું .
આત્મ હત્યાના વિચારો સતાવે .

એક મત મુજબ કેટલીક સ્ક્રીજોફ્રેનીક અને લઘુ મનો વિકૃતિની સમસ્યાઓ
આ ચક્રની નબળાઈથી વકરે છે .

ટુંકમાં ,-આ ચક્રની ઉર્જા સંતુલિત ન હોય ત્યારે કેટલાક ભય સતાવ્યા કરે છે .
આગળ જતા –તેની આ અસ્વસ્થતા અચેતનને પ્રભાવિત કરે છે ત્યારે વ્યક્તિ
એકલતાની લાગણીથી તીવ્ર રીતે પીડાય છે .

વધુ વિગતો હવે પછી ,,,

પ્રો.આઈ.જે .સૈયદ

-

Posted in મનોવિજ્ઞાન | 2 Comments