ચક્રનું મનોવિજ્ઞાન -૮
(૨) સ્વાધિષ્ઠાન ચક્ર ચાલુ ..
અચેતનનું નિવાસ સ્થાન :
સ્વાધિષ્ઠાન ચક્રનો એક ભાગ મગજના અચેતન મન સાથે સંબંધિત છે .
તેના સંસ્કારો (મનો ઈમેજ )નું ત્યાં સંગ્રહ સ્થાન છે .તે અચેતનના અનેક
અનુભવો સાથે પરોક્ષ રીતે સંબંધિત છે .
જયારે આ ચક્રમાં ઉર્જા અવરોહણ થાય છે ત્યારે તે અચેતનના અનેક રહસ્યો
ખોલે છે .અહીં અચેતનની ચળવળોનો જમાવડો છે . ચેતન અહીં કામ કરતું નથી .
ઋગ્વેદ પ્રમાણે -સૃષ્ટિની રચનાના ગર્ભમાં અને પછીની સૃષ્ટના સર્જનમાં તથા
વિસર્જનમાં અને સંવર્ધનમાં તેનો હાથ હોય છે .
જયારે ,સ્વાધિષ્ઠાન ચક્ર જાગે છે ત્યારે
અચેતનમાં ધરબાયેલા નેગેટીવ ફેકટર
બહાર નિકળવા માંડે છે .
જાતિયતા સાથેનો સંબંધ :
જાતિય શક્તિ એ મૂળભૂત –આદિમ ઉર્જાનું માત્ર એક રૂપ છે .આ ઉર્જા ક્યારેય
નાશવંત નથી .તથા સમગ્ર દેહમાં ,મનમાં એક યા બીજા સ્વરૂપે રૂપાંતરિત થતી
થતી રહે છે. પરંતુ તે લૂપ્ત થતી નથી .તે હમેશા તન –મન અને ચેતનમાં હરતી-ફરતી રહે છે .
ઉચ્ચ ચેતના અવસ્થાએ પણ
તે હાજર હોય છે, તેથી
ભક્તિ કે ઈશ્વર પ્રિત તેના રૂપાંતરણની ઘટના માત્ર છે .
આ ઉર્જા નીચેથી ઉપર સુધી પોતાનો પ્રભાવ એક યા બીજી સ્વરૂપે બતાવે છે .
સેક્સ એ તો એ ઉર્જાનો એક
અનુભવ માત્ર છે …..
આ શક્તિ જૂદી જૂદી કક્ષાએ જૂદા જૂદા નામથી ઓળખાય છે .તેની ઉચ્ચતમ કક્ષાએ
આદ્યાત્મિક અનુભવ કરીએ છીએ . તેની ઉચ્ચતમ ભાવાત્મક કક્ષાને પ્રેમ કહીએ છીએ અને તેની શારીરિક આસક્તિ રૂપ પરાકાષ્ઠાને સેક્સ નામથી ઓળખીએ છીએ .
સ્વાધિષ્ઠાન ચક્ર એ મૂળભૂત ઉર્જાનું વિતરણ કેન્દ્ર છે .
આ ચક્ર પાસેથી
જાતિય આવેગો –આવેશો ,
માતૃ પ્રેમથી લઈને પ્રભુ પ્રેમ
દૈહિક શક્તિથી લઈને આદ્યાત્મિક ઉર્જા મેળવી શકાય છે .
પરંતુ ,લોકો લાલસા વૃતિ-પ્રવૃત્તિને લીધે આ ઉર્જાને નિમ્ન કક્ષાની ઉર્જામાં રૂપાંતરિત
કરી દે છે અથવા ચક્રને અવરોદ્ધ કે અવ્યવસ્થિત કરી નાખે છે .
ઓશોના મતે આ ઉર્જા ચક્રની બે સંભવના છે :
(૧ ) કામવાસના
(૨ ) બ્રહ્મચર્ય
આ ચક્રની પ્રાથમિક સંભાવના છે સેક્સ ,જે પ્રાકૃતિક છે
અને બ્રહ્મચર્ય તેનું રૂપાંતરણ છે .
ચિત્ જેટલું કામવાસનાને વળગ્યું હશે એટલો જ વિલંબ આ ચક્રના રૂપાંતરણ માટે
થશે .
જયારે કામવાસના પ્રત્યે પૂર્ણભાવથી અને પૂરા ચિત્તથી ,પૂર્ણ સમજથી જાગ્રત
થઈએ છીએ ત્યારે ભીતરે કામની જગ્યાએ બ્રહ્મચર્યનો જન્મ થાય છે .
સાચા અર્થમાં બ્રહ્મચર્ય સધાય તો
વ્યક્તિ આ ચક્રની ઉર્જાથી ક્રાંતિવાન બની શકે છે …..
વિશેષ હવે પછી …
પ્રો.આઈ .જે .સૈયદ